Tuesday, January 22, 2013

સાચો નિર્ણય... સાચા સમયે ...!!!




જ્યાં પહોંચવાની ઝંખના વરસોથી હોય ત્યાંમન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને.
જે શોધવામાં જિંદગી આખી પસાર થાયને એ જ હોય પગની તળે એમ પણ બને.
-મનોજ ખંડેરિયા  



માણસને જિંદગી સૌથી અઘરી ક્યારે લાગતી હોય છે? જ્યારે પોતાનું ધાર્યું ન થાય ત્યારે. જિંદગી આપણી બધી જ ગણતરીઓ ઊંધી પાડી દે છે. ક્યારેક આપણા સંબંધો જ સવાલો બનીને સામે આવી જાય છે તો ક્યારેક આપણી કરિયર સામે પ્રશ્નાર્થ મુકાઈ જાય છે. ક્યારેક પ્રેમ જ પ્રશ્નો કરવા લાગે છે તો ક્યારેક લાગણી જ જવાબો માગે છે. માણસે જવાબો શોધવા પડે છે. જિંદગીના સવાલોનો જવાબ એક નથી હોતો પણ અનેક જવાબો હોય છે. એમાંથી એવો જવાબ શોધવાનો હોય છે, જે બીજા બધા જવાબો કરતાં સરળ, સહજ અને ઓછી વેદના આપનારો હોય. આપણે કેવો જવાબ શોધીએ છીએ તેના પરથી જ આપણી આવડત, ડહાપણ, સમજદારી અને બુદ્ધિક્ષમતાનું માપ નીકળે છે.

Friday, January 4, 2013

મૃત્યુ નો ઉત્સવ ...!!!


મૃત્યુ વિષયક શેરોની ગલીઓમાં થોડા આગળ વધીએ… આ વખતે કોઈ એક કવિ ‘મૃત્યુ’ નામના એક જ વિષય પર અલગ અલગ નજરિયાથી વાત કરે એના બદલે એક જ વિષય પર અલગ અલગ કવિઓ શું કહે છે એનો આસ્વાદ લઈએ…
શબ્દ ક્યાં પહોંચે છે તે જાતે નિરખવા માટે, ભાન ની સૃષ્ટિની સીમાને પરખવા માટે,
દિલના વિસ્તારની દુનિયાઓમાં વસવા માટે, કોઈ મહેફિલથી ઊઠી જાય તો મૃત્યુ ન કહો.
- હરીન્દ્ર દવે
મોત તારી કારી નિષ્ફળતા ઘડીભર જોઈ લે,
કેટલા હૈયે સ્મરણ મારા બિછાવી જાઉં છું,
-હરીન્દ્ર દવે
જેવું તને મેં જોયું ત્યાં ભાંગી પડ્યો, મરણ!
મંજિલ મળી તો લાગે છે મોકાનો થાક છે.
- હરીન્દ્ર દવે